એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે. વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા, તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી તે પછી યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.
- A.ઓસ્ટ્રોલોઈડ પ્રજા
- B.નેગ્રીટો પ્રજા
- C.આર્યપ્રજાCorrect
- D.અલ્પાઈન પ્રજા
Board exam · Social Science · 2017
77 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે. વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા, તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી તે પછી યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.
ભારતની પ્રજાને ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણાં, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ જેવા ભૂમિદશ્યોની ભેટ કોના દ્વારા આપવામાં આવી છે ?
નીચે આપેલ શહેરોમાંથી એક શહેર જે વીંટી, હાર, દામણી, ચૂની, કુંડલ જેવા અલંકારોમાં કિંમતી પથ્થરોનું જડતર કામ માટે જાણીતું છે ?
મહાકવિ કાલીદાસને સુસંગત ચાર વિધાનો આપ્યાં છે. જેમાંથી એક વિધાન કવિ કાલીદાસ સાથે સંબંધ ધરાવતું નથી, તે કયું ?
પ્રાચીન સમયનું એક વેપાર વાણિજ્યનું કેન્દ્ર જ્યાંથી તાંબું ગાળવાની ભઠ્ઠી, ઓજારો બનાવવાના ઉપકરણો, ધાતુની બંગડી તથા સોનાના દાગીના વિ. ના અવશેષો મળ્યા તે સ્થળ ઓળખો.
આપણા સાહિત્યિક વારસામાં ‘‘અર્થશાસ્ત્ર’’ નામના ગ્રંથનું નામ ગૌરવભેર લેવાય છે. નીચે પૈકીની કઈ બાબત આ ગ્રંથને યોગ્ય રીતે લાગું પડે છે ?
નીચે વિભાગ A માં વંશજો આપ્યા છે તથા વિભાગ B માં રાજાઓના નામ આપ્યા છે. યોગ્ય જોડકા જોડી સાચાં વિકલ્પ પસંદ કરી દર્શાવો.
| A | B |
|---|---|
| a) પલ્લવ વંશ | 1) ભીમદેવ પ્રથમ |
| b) મુઘલ વંશ | 2) નૃસિંહવર્મન બીજો |
| c) ચોલ વંશ | 3) બાબર |
| d) સોલંકી વંશ | 4) રાજરાજ |
Answer
અકબરના દરબારમાં ઉર્દૂ સાહિત્યકાર મહંમદ હુસેન આઝાદ થઈ ગયા, જેણે એક મૌલિક ગ્રંથની રચના કરી હતી.
સાહિત્ય વારસાને લગતા જોડકાને યોગ્ય રીતે જોડો.
| A | B |
|---|---|
| a) ધર્મ તત્ત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની પ્રાચીન ભાષા | i) પ્રાકૃત |
| b) ભગવાન મહાવીર અને બુધ્ધે જે ભાષામાં જનતાને ઉપદેશ આપ્યા. | ii) પાલી |
| c) પ્રારંભિક બૌધ્ધ સાહિત્યની રચના જે ભાષામાં થઈ. | iii) તમિલ |
| d) દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા | iv) સંસ્કૃત |
Answer
પ્રાચીન ભારતના બૌધ્ધ સાહિત્યમાં અશ્વઘોષ રચિત ગ્રંથ ‘બુધ્ધચરિત’ કઈ ભાષામાં રચાયું હતું ?
આપણા વિજ્ઞાન-ટેક્નોલોજીના વારસા વિશે પશ્ચિમના દેશોએ ભારત વિરૂધ્ધ કેવી ટીકા કરી હતી ?
નીચે ચાર જોડકા તેના સાચા વિકલ્પો સાથે આપેલ છે. જેમાં એક જોડકાની વિગત બંધબેસતી નથી. જણાવો.
દક્ષિણ ભારતમાં કોના શાસનકાળ દરમિયાન વિપુલ ધાતુ શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું હતું ?
ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે 1565 માં યમુના નદી કિનારે આગ્રાનો કિલ્લો બંધાયો હતો, જ્યાં શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આ કિલ્લામાં વિતાવ્યા હતા, આ કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?
આ સ્થળ વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. સ્થાપના હરિહર–બુક્કારાયે કરી હતી. કૃષ્ણદેવરાયનો શાસનકાળ સુવર્ણયુગ કહેવાતો, તો ભારતમાં દર્શાવેલ આ સ્થાપત્ય નગર કયું છે ?

મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હી ખાતે મુઘલ શૈલીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું, જેમાં આકર્ષણના કેન્દ્રો દિવાને-આમ, દિવાને-ખાસ, રંગમહેલ, મુમતાઝ શીશમહેલ તથા લાહોરી દરવાજા, મોતી મસ્જિદ હતા. આમાં મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
નીચે જણાવેલ યાત્રા સ્થળો પૈકી ચારધામ યાત્રામાં કોનો સમાવેશ થાય છે ? P) રામેશ્વર – બદરીનાથ Q) જગન્નાથપુરી – દ્વારકા R) હરીદ્વાર – સોમનાથ S) ઉજ્જૈન – નાસિક
આપણા દેશમાં ઉજવાતા પ્રાદેશિક તહેવારો જેવા કે પોંગલ, બિહુ, ઓણમ, ગણગોર છે. આ તહેવારો ઉજવાતા હોય તે રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ સાચા ક્રમમાં દર્શાવો.
નીચેના પૈકી કઈ ભૌગોલિક પરિસ્થિતિ દ્વારા જમીનની પરિપક્વતા નક્કી થાય છે ?
યુનેસ્કોના ‘માનવ અને જૈવ ભૌગોલિક વિસ્તાર' કાર્યક્રમ અંતર્ગત વિશ્વમાં કયા પ્રકારના વિસ્તારો બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે ?
વનસ્પતિ અને વન્યજીવનને લગતા ઉજવણીના દિવસોને જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબ નીચે પ્રમાણે ફાળવણી કરેલ છે. જેમાંથી સાચો વિકલ્પ શોધો.
ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યો, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટી, દક્ષિણ ભારતના નિલગીરી અને અનાઈ મલાઈની ટેકરીઓમાં કઈ પધ્ધતિ દ્વારા ખેતી થાય છે ?
ભારતમાં કૃષિક્ષેત્રે સંશોધન તથા શિક્ષણ આપતી સંસ્થા કઈ છે ?
પાક અને પ્રદેશને લગતા જોડકાને યોગ્ય રીતે જોડતો વિકલ્પ પસંદ કરો.
| A | B |
|---|---|
| a) ઘઉં | i) જૂનાગઢ જિલ્લો |
| b) કપાસ | ii) ભાલ પ્રદેશ |
| c) તમાકુ | iii) કાનમ પ્રદેશ |
| d) મગફળી | iv) ચરોતર પ્રદેશ |
Answer
ગુજરાતમાં મોટા ભાગની ખાંડની મિલો કયા ધોરણે સ્થપાય છે ?
બીજી સદીમાં પાણીનો ઉપયોગ સિંચાઈ કરવા માટે ‘ગ્રાન્ડ એનિકટ નહેર’ નું નિર્માણ કઈ નદીમાંથી થયું હતું ?
માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેના ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવી સાચો વિકલ્પ શોધો.
ભારતીય લોખંડની કાચી ધાતુની નિકાસ કરતાં બંદરોમાં એકનો સમાવેશ થતો નથી.
ભારતમાં પ્રથમ વિન્ડ ફાર્મ તુતીકોરીન - તામિલનાડુ રાજ્ય, તો ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં છે ?
નીચે ચાર વિગતો વર્ણવી છે જેમાં ઉદ્યોગનું નામ – સ્થળ – રાજ્ય તેમજ સ્થાપના વર્ષ દર્શાવ્યા છે. જેનો અભ્યાસ કરતા એક વિગત અસત્ય જણાય છે. જણાવો.
નીચે ઉદ્યોગોનું વર્ગીકરણ જોડકા સ્વરૂપે જણાવ્યા છે. જેમાં એક જોડકુ ખરું નથી.
સામાજિક વિજ્ઞાનના તાસમાં શ્રી દેસાઈ સાહેબ લોખંડ-પોલાદ ઉદ્યોગના કેન્દ્રો પૈકી એક કેન્દ્રની માહિતી આપી રહ્યા હતા જેવી કે આ કેન્દ્ર લોખંડની કાચી ધાતુ તથા અબરખની નિકાસ રાષ્ટ્રોમાં કરે છે તેનો વહિવટ SAIL હસ્તક છે અને તે તટવર્તી સ્થાન ધરાવે છે. ઉપર્યુક્ત માહિતી આધારે કયા કેન્દ્રનું સૂચન કરેલ છે ?
ભારતમાં રેલવે એન્જિન નિર્માણના મુખ્ય બે કેન્દ્રો જણાવો.
ભારતનો સૌથી લાંબા અંતરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 7 લંબાઈ 2372 કિલોમીટરની છે. કયા બે મુખ્ય શહેરો સાથે જોડાયેલો છે ?
આજે વિકાસશીલ દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થતા કયા ક્ષેત્રનું મહત્ત્વ ઘટયું છે ?
બજાર પધ્ધતિના કેટલાક લક્ષણો નીચે આપેલ છે. તેમાંથી એક લક્ષણ બંધબેસતું નથી. તે શોધો.
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતાં કઈ આવક મળે છે ?
મિશ્ર અર્થતંત્રની મર્યાદાઓમાં એક મર્યાદા ખોટી છે, તે જણાવો.
વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક કયા સ્થળે આવેલું છે ?
વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે ?
નીચેની વિગત ધ્યાનથી વાંચો, જેમાં સરકાર વેતન ચૂકવતી નથી, ભવિષ્યમાં તેને રોજગારી મેળવવાના હેતુથી તાલિમ અને શિક્ષણ પુરુ પાડે છે. વિધાન સાથે સુસંગત કાર્યક્રમ જણાવો.
ભારતમાં ખેતી જેવાં ક્ષેત્રમાં વધારાના શ્રમિકના કાર્યથી ખેત ઉત્પાદનમાં વધારો થતો નથી તો તેવા શ્રમિકની કેવી બેરોજગારી ગણાવશો ?
પ્રધાનમંત્રી ગ્રામોધ્ધાર યોજના ’ અંતર્ગત એક યોજના ખોટી દર્શાવી છે. તે જણાવો.
ક્રાંતિકારી અને આતંકવાદી બાબતે નીચે જણાવેલ વિધાનોમાંથી કોઈ એક વિધાન બંને વચ્ચે પાયાનો તફાવત દર્શાવે છે. તે ઓળખી કાઢો ?
સામાજિક, આર્થિક તથા શૈક્ષણિક પાસાઓને ધ્યાને લઈ ‘અન્ય પછાત’ વર્ગોમાં કઈ જાતિઓનો સમાવેશ કરવો તેની ન્યાયિક તપાસ સારૂ ગુજરાત રાજ્યમાં કયા પંચની રચના કરવામાં આવેલ
સરકાર દ્વારા નીચે પૈકીની કઈ બાબત માટે કરાયેલ ખર્ચ એ ‘‘માનવસંસાધન’’ વિકાસ માટેનું મૂડી રોકાણ કહેવાય ?
નીચે રાજ્યો અને તેમના બળવાખોર સંગઠનોની વિગતો આપેલ છે જેના સાચા જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| A (રાજ્યો) | B (બળવાખોર સંગઠનો) |
|---|---|
| a) અસમ | 1) પિપલ્સ વૉર ગ્રુપ |
| b) મણિપુર | 2) યુનાઈટેડ માઈનોરીટી ફ્રન્ટ |
| c) પશ્ચિમ બંગાળ | 3) કૂકી નેશનલ ફ્રન્ટ |
Answer
મહિલા સશક્તિકરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરતી વ્યક્તિને કયો પુરસ્કાર અપાય છે ?
કયા પ્રકારના લોકોના હિત સારું સરકારે નીચે મુજબના પગલા લીધા છે ?
જાહેર મિલકત તેમજ પર્યાવરણને કોઈ નુકશાન પહોંચાડી રહ્યું છે, તો તમે શું કરશો ?
Answer
પ્રાચીન ભારતના તમિલ સાહિત્યમાં સંગમ આયોજન થયું હતું, જેમાં સંગમ સાહિત્ય વિશે ચર્ચા કરો.
Answer
પ્રાચીન ભારતના લોહસ્તંભ વિશે માહિતી આપો.
Answer
પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રનો ખ્યાલ આપી આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તની ખગોળશાસ્ત્રીય સિદ્ધિ જણાવો.
Answer
કાળી જમીનને દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણવામાં આવે છે – વિધાન ચર્ચો.
Answer
ભારતમાં ‘ચા’ કૃષિ પાક માટે અનૂકુળ સંજોગો જણાવી પકવતા રાજ્યો જણાવો.
Answer
પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા સિંચાઈ પર આધાર રાખે છે, કારણ આપો.
Answer
ભારતમાં શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં શાથી કેન્દ્રિત થયો છે ?
Answer
પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે ?
Answer
તફાવત સ્પષ્ટ કરો. નિરપેક્ષ ગરીબી – સાપેક્ષ ગરીબી
Answer
વસ્તીવૃદ્ધિ બેરોજગારી ઘટાડવા માટે અવરોધક પરિબળ સાબિત થયું છે.’ – વિધાન સ્પષ્ટ કરો.
Answer
માનવ વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ જરૂરી છે. શા માટે ?
Answer
સંગીતકલાનો પરિચય આપી માત્ર પ્રકાર જણાવી સંગીતકારોના નામ લખો.
Answer
સ્તંભાલેખોની માહિતી આપી સારનાથના સ્તંભની ટૂંકમાં નોંધ આપો.
Answer
જંગલોના નિકંદનને કારણે કઈ કઈ વિનાશક અસરો સર્જાઈ છે ?
Answer
બાયોગેસનો પરિચય આપી, ગુજરાતમાં કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે ?
Answer
કોલસાના પ્રકાર જણાવી દરેકની ટૂંકમાં માહિતી આપો.
Answer
બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને આપવામાં આવેલ બાળ અધિકારોની ચર્ચા કરો.
Answer
વિભાગ-D
નીચેના પ્રશ્નક્રમાંક 16 થી 18 ના ગુણ સરખા છે. દરેકના 5 ગુણ છે. પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો.
ભારતે “વસુધૈવ ટુમ્બમ્’ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમજાવો.
Answer
ભાવ વધારો નિયંત્રણ લાવવા સરકારે લીધેલ પગલાંની ચર્ચા કરો.
Answer
બજારમાં ઉપભોક્તા (ગ્રાહક) નું શોષણ કઈ કઈ રીતે કરવામાં આવે છે ?
Answer
ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો.
(1) કૉફી પકવતો સૂર્ગ પ્રદેશ. (2) હિરાકુડ યોજના (3) અબરખની ખનીજ ઉત્પાદક ક્ષેત્ર (4) ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીનું કેન્દ્ર (5) મુંબઈથી કોલકાતા રેલવે માર્ગ (2 અટક સ્થાન જણાવો)
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (1) કૉફી પકવતો સૂર્ય પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (2) હિરાકુડ યોજના કઈ નદી પર આવેલી છે ?
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (3) અબરખ ખનીજ ઉત્પાદક ક્ષેત્ર ધરાવતું રાજ્ય જણાવો.
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (4) ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીનું કેન્દ્ર જણાવો.
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (5) મુંબઈથી કોલકાતા રેલવે માર્ગ પર આવતા અટક સ્થાનો જણાવો. (2 અટકસ્થાન જણાવો)
Answer