નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
મનુષ્યનું જીવન તેના વિચારોથી જ ઘડાય છે, તેના વલણો અને ભાવનાઓથી જ સર્જાય છે. જીવનમાં દરેક વ્યક્તિએ ઊંચું ધ્યેય રાખવાનું છે, રંગીન સ્વપ્નો જોવાના છે અને તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. ઊંચા ધ્યેયો અને તેને હાંસલ કરવા માટેનો સતત પુરુષાર્થ જ વ્યક્તિને પ્રગતિની પરાકાષ્ઠાએ કે શિખરે પહોંચાડી શકે છે, પરંતુ ઘણા માણસો નિષ્ફળ જવાના કાલ્પનિક ભયથી જ કે પછી ડરપોકપણાના કારણથી સામાન્ય પ્રકારના કાર્યોમાં જીવન વેડફી નાખે છે. તેઓ કઈ રીતે પ્રગતિ સાધી શકે? આને લીધે તે જીવનમાં મળેલી અમૂલ્ય તકો પણ વેડફાઈ જાય! ઈશ્વરે માનવને બળ, બુદ્ધિ અને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. આથી હવે તેનો ઉપયોગ કયાં, કેવો અને કેટલો કરવો, તે વ્યક્તિએ પોતે વિચારવાનું છે. જો વ્યક્તિ ઊંચા જ નિશાન રાખે તો પર્વતની ટોચ હોય કે સાગરનું તળિયું હોય – એ સર્વે તેનાં હાથવેંતમાં જ હોય છે. અંગ્રેજીમાં પણ કહેવાય છે, 'Think Globally but act Locally' અર્થાત ‘ભલે નિષ્ફળ કદાચ જવાય, પણ તમારું નિશાન કે ધ્યેય તો હરહંમેશ ઊંચું જ રાખો, રાખવું જ રહ્યું.'