વિભાગ – D નીચેનો ગદ્યાંશ વાંચીને, તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો.
વિદ્યા મેળવવાનો આધાર કેવળ વિદ્યાલય પર જ નથી હોતો, મુખ્યત્વે કરીને વિદ્યાર્થી ઉપર જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં જાય છે એટલું જ નહિ ઉપાધિ પણ મેળવે છે. છતાં વિદ્યા પામતા નથી. તેજ પ્રમાણે તીર્થ કરવા તો ઘણા જાય છે. પણ તીર્થનું સાચું ફળ બધા મેળવી શકતા નથી. જેઓ જોવાની વસ્તુ જુએ નહિ, મેળવવાની વસ્તુ લે નહિ તેમની વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે અને ધર્મ બ્રાહ્ય આચરણમાં પુરાઈ રહે છે ખરા પણ જવાને તેઓ પુણ્ય માને છે પામવાને નહિ. તેઓ અમુક જળ અથવા અમુક માટીમાં કોઈ વિશેષ ગુણ રહેલો છે.એથી માણસનું લક્ષ ભ્રષ્ટ થાય છે. આખા દેશમાં સાધનામાર્જિત, ચિત્તશક્તિ જેમ-જેમ મલિન થતી ગઈ તેમ-તેમ આ નિરર્થક બ્રાહ્યતા વધતી ગઈ તે વાત કબૂલ કરવી જ પડશે. – રવીન્દ્રનાથ ટાગોર
- તીર્થમાં જનાર બધા કેમ સાચું ફળ મેળવી શકતા નથી ?
Answer