નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હૉસ્પિટલોમાં ઢગલાબંધ દરદીઓ બણબણતા રહે છે. વેદ-ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે આપણે ત્યાં રોગ નિયમ છે. અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઊલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા.
Answer