← Back to practice

May

Board exam · Social Science · 2021

54 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
36
LONG ANSWER1 mark

સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

પ્રશ્ન: આ ગુફાઓમાં વિહારોની સંખ્યા કેટલી છે?

Answer

કુલ ૨૯ ગુફાઓ છે, જેમાંથી ૫ ચૈત્ય છે, તેથી વિહારોની સંખ્યા ૨૪ છે.
36 of 54