← Back to practice

Gujarati SL

Board exam · Gujarati · 2017

74 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
68
SHORT ANSWER1 mark

આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ

પ્રશ્ન : આપણી જાતને આપણે કેવી માનવાની છે ?

Answer

આપણે આપણી જાતને સામર્થ્યવાન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ માનવાની છે.
68 of 74