← Back to practice

Gujarati (S.L) New Course

Board exam · Gujarati · 2018

62 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે ?

    • A.ઈશ્વરનું સાંનિધ્ય
    • B.ઈશ્વરના નામનું રટણCorrect
    • C.ઈશ્વરનાં દર્શન
    • D.સુખ અને સમૃદ્ધિ
  2. 2
    MCQ1 mark

    ‘જીવમાં જીવ આવ્યો’ કૃતિમાં શેના દ્વારા સૃષ્ટિ બદલાયેલી લાગે છે ?

    • A.પ્રાણીઓના અવાજથી
    • B.પક્ષીઓના કલરવથી
    • C.માનવસૃષ્ટિના દુ:ખથી
    • D.વરસાદના આગમનથીCorrect
  3. 3
    MCQ1 mark

    ગિરિધરનાં ગુણ, દર્શન થકી શું થાય છે ?

    • A.આપણે શ્રીમંત થઈએ છીએ.
    • B.આપણાં બધાં દુ:ખ દૂર થાય છે.Correct
    • C.આપણી ભક્ત તરીકે વાહવાહ થાય છે.
    • D.આપણને લોકો પૂજે છે.
  4. 4
    MCQ1 mark

    નીચેના વિધાનોમાં કયું વિધાન ‘હાથ મેળવીએ’ કાવ્યાંશને બંધબેસતું નથી ?

    • A.આપણા હાથમાંકેટલુંયે છે.
    • B.આપણા હાથમાં ઉષ્મા અને થડકો છે.
    • C.આપણા હાથ સ્વચ્છ અને સુંદર છે.Correct
    • D.આપણા હાથ સારું- નઠારું કેટલુંયે કામ કરે છે.
  5. 5
    MCQ1 mark

    ‘તે બેસે અહીં’ કાવ્ય દ્વારા પોતાનો બીજો હાથ શું જાણવા પામે નહિ ?

    • A.દાનCorrect
    • B.ધર્મ
    • C.પ્રેમ
    • D.ઝઘડો
  6. 6
    MCQ1 mark

    ‘આ બધામાં મને ક્યાં ગોઠવું ?' પંક્તિ દ્વારા કવયિત્રીએ કઈ ભાવના વ્યક્ત કરી છે ?

    • A.દીવાનખાનામાં પોતાને માટે જગ્યા નથી.
    • B.આધુનિક માણસની એકલતા અને નારી સંવેદનાCorrect
    • C.રાચરચીલું સંબંધની ઉષ્મા આપે છે.
    • D.દીવાનખાનામાં પોતાને ગોઠવી શકતા નથી.
  7. 7
    MCQ1 mark

    ‘ક્યાં રે વાગી’ કાવ્યની કાવ્યનાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે ?

    • A.સ્તબ્ધ બનાવી દીધી.
    • B.મન હરી લીધું.Correct
    • C.ભાન ભૂલાવી દીધું.
    • D.રાસરમવા લાગી.
  8. 8
    MCQ1 mark

    ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ કોનાં આંસુ લુછવાની વાત કરે છે ?

    • A.માતાનાં
    • B.બાળકનાં
    • C.દીન-દુ:ખિયાનાંCorrect
    • D.પત્નીનાં
  9. 9
    MCQ1 mark

    ‘લાવો તમારો હાથ મેળવીએ' પંક્તિમાં કવિએ હાથને શેનું પ્રતીક બનાવ્યું છે ?

    • A.ધન વહેંચવાનું
    • B.દાન આપવાનું
    • C.કીર્તિ મેળવવાનું
    • D.હૃદય ભાવનાનુંCorrect
  10. 10
    MCQ1 mark

    ‘જે બીજાના દુઃખે દુ:ખી હોય, ગુપ્તદાનનો મહિમા સમજતો હોય અને પ્રગતિની ટોચે પણ નમ્ર હોય તે જ સભામાં બેસવાને લાયક ગણાય'' આવી મનુષ્યની મહિમા પાઠયપુસ્તકની કઈ કૃતિમાં બતાવી છે ?

    • A.ક્યાં રે વાગી
    • B.તે બેસે અહીંCorrect
    • C.જીવમાં જીવ આવ્યો
    • D.દીવાનખાનામાં
  11. 11
    MCQ1 mark

    નીચેનામાંનું કયું કાવ્ય ઊર્મિકાવ્ય પ્રકારનું છે ?

    • A.હાથ મેળવીએ
    • B.દીવડો
    • C.મોરલી
    • D.જીવન અંજલિ થાજોCorrect
  12. 12
    MCQ1 mark

    મને ઓળખો હું કોણ છું ? ‘‘હું જાપાનીઝ કાવ્ય પ્રકાર છું મારામાં એક ચમત્કૃતિની જેમ ચિત્ર ખડું થતું હોય છે.’’

    • A.મુક્તક
    • B.લોકગીત
    • C.હાઈકુCorrect
    • D.પદ
  13. 13
    MCQ1 mark

    કેવો માણસ કદી ફુલાતો નથી ?

    • A.દંભી
    • B.પૂર્ણતાવાળોCorrect
    • C.નિરાશ
    • D.દુ:ખી
  14. 14
    MCQ1 mark

    ‘ફોરાં જ્યાં ઝરમર ઝર્યાં ..........' પંક્તિ પૂર્ણ કરો.

    • A.ઊજળો રંગ કાઢ્યો.
    • B.ઘૂઘવ્યાં પૂર આઘાં
    • C.રૂપ ખીલ્યું ધરાનું
    • D.જીવમાં જીવ આવ્યો.Correct
  15. 15
    MCQ1 mark

    ‘ક્યાં રે વાગી’ કાવ્ય દ્વારા મોરલીને કેવી કહી છે ?

    • A.વિજોગણ
    • B.સુંદર
    • C.જાદુઈCorrect
    • D.મધુર
  16. 16
    MCQ1 mark

    વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા શું કરતાં નજરે પડે છે ?

    • A.ભજન ગાતા
    • B.આરતી ઉતારતાં
    • C.રોટલા ઘડતાંCorrect
    • D.દૂધ દોહતાં
  17. 17
    MCQ1 mark

    ‘પ્રાણનો મિત્ર’ પાઠમાં મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી ?

    • A.તે મજૂરોને ચા-પાણી કરાવતો.
    • B.તેને માટે એ સૌથી વધુ દુ:ખનો દિવસ બનતો.Correct
    • C.તે ત્યાંથી ચાલ્યો જતો.
    • D.તેને મજૂરોની દયા આવતી.
  18. 18
    MCQ1 mark

    ‘શરણાઈના સૂર’ કૃતિમાં કોના વાત્સલ્ય હૃદયની વાત કરવામાં આવી છે ?

    • A.ભૂધર મેરાઈ
    • B.તળશી વેવાઈ
    • C.ગવરી
    • D.રમઝુ મીરCorrect
  19. 19
    MCQ1 mark

    માનસેવા એટલે ......

    • A.વેતન લીધા વિનાCorrect
    • B.વેતન લઈને
    • C.માન-સમ્માન માટે
    • D.હોદ્દા માટે
  20. 20
    MCQ1 mark

    ‘સૂરજ તો બધે જ સરખો' નિબંધ દ્વારા લેખકે શેના બાબતે કટાક્ષ કર્યો છે ?

    • A.રજા પડે એટલે માણસ પ્રવાસ જવા વિચારે છે.
    • B.પ્રવાસનાં દરેક સ્થળની ખાણી-પીણીની જ વાત કરે, સ્થળની ખાસિયતની નહીં.Correct
    • C.પ્રવાસમાં બધાં જ સ્થાન સરખાં હોય છે.
    • D.પ્રવાસનું આયોજન કરી, છેવટે ક્યાંય જતા નથી.
  21. 21
    MCQ1 mark

    ‘એલા ડોસલા, આવો ભુખાળ ક્યાંથી થયો ? આટલી દાદ લીધી તોય હજી તને ધરપત નથી ?’’ – વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ? તે જણાવો.

    • A.ભૂધર મેરાઈ – તળશી વેવાઈને
    • B.ભૂધર મેરાઈ – જાનૈયાઓને
    • C.રમઝુ મીર – તળશી વેવાઈને
    • D.ભૂધર મેરાઈ – રમઝુ મીરનેCorrect
  22. 22
    MCQ1 mark

    ડૉ. કુરિયનનો જન્મદિન 26 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?

    • A.‘સ્ત્રી સશક્તિકરણ દિવસ’ તરીકે
    • B.‘નેશનલ મિલ્ક ડે’ તરીકેCorrect
    • C.‘ગ્રાહક સુરક્ષા દિન’ તરીકે
    • D.‘સ્વચ્છતા દિન' તરીકે
  23. 23
    MCQ1 mark

    લેખક વિકાસ શર્મા અને મિત્રોએ દંડ ભર્યાની જે ટિકિટ મળી તેની ફોટોસ્ટેટ નકલ કરી કેમ લઈ લીધી ?

    • A.જાતને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કશાનોયે બગાડ ન કરવો.Correct
    • B.ટિકિટ પાછા રેસ્ટોરાંમાં જાય ત્યારે બતાવવા માટે.
    • C.દંડ ભર્યાના પૈસા પાછા ક્યારેય મળી જાય માટે.
    • D.આ રેસ્ટોરાંમાં ક્યારેય ન જવું તે યાદ રહે માટે.
  24. 24
    MCQ1 mark

    ‘નથી’ વાર્તા દ્વારા લેખક મોહમ્મદ માંકડે કઈ વાત રજૂ કરી છે ?

    • A.સંતાનનો માતા પ્રત્યેનો પ્રેમ
    • B.માતાનો સ્વાર્થભર્યો પ્રેમ
    • C.કંચનમાસીનોપ્રેમ
    • D.માતાનો નિ:સ્વાર્થ પ્રેમCorrect
  25. 25
    MCQ1 mark

    જેઠીબાઈ હાથમાં શું લઈને અધિકારીઓ પાસે ગયા હતાં ?

    • A.ત્રિરંગો
    • B.બેનર
    • C.સળગતી મશાલCorrect
    • D.કારખાનાંનો વાવટો
  26. 26
    MCQ1 mark

    ‘ઝબક જ્યોત' એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના વર્ણવાયેલી છે ?

    • A.પિતાની બીક
    • B.સ્વાતંત્ર્યસંગ્રામCorrect
    • C.પિતાની જોહુકમી
    • D.આંદોલનની
  27. 27
    MCQ1 mark

    લેખકના મતે રમાએ કાન્તિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો ?

    • A.એના અટપટા હિસાબથી-ખૂબીથીCorrect
    • B.એના પ્રેમથી
    • C.એના રુદનથી
    • D.એના ચેનચાળાથી
  28. 28
    MCQ1 mark

    વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો ?

    • A.વધારે પડતું
    • B.ઘણું ઓછું
    • C.જરાય નહિ
    • D.જરૂર પૂરતુંCorrect
  29. 29
    MCQ1 mark

    દીપકના પિતાનું હૃદય પરિવર્તન શેનાથી થાય છે ?

    • A.પત્નીના રુદનથી
    • B.પુત્રીની શહીદીથી
    • C.ગાંધીજીના જેલવાસથી
    • D.પુત્રની શહીદીથીCorrect
  30. 30
    MCQ1 mark

    ‘પ્રાણનો મિત્ર’ વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે ?

    • A.તંદુરસ્તીની
    • B.પ્રાણીની
    • C.પર્યાવરણનીCorrect
    • D.પાણીની
  31. 31
    MCQ1 mark

    નીચેનામાંથી કયું સમાનાર્થીનું જોડકું ઉચિત નથી ?

    • A.પારિતોષિક – ઈનામ
    • B.હોદ્દો – સ્થાન
    • C.તાલીમ – કેળવણી
    • D.પ્રતિકૃતિ – ચિત્રCorrect
  32. 32
    MCQ1 mark

    નીચેનામાંથી કયો શબ્દ મુક્ત શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?

    • A.ઉચ્છ
    • B.આઝાદCorrect
    • C.મસ્ત
    • D.ખુશ
  33. 33
    MCQ1 mark

    ‘અમાસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો.

    • A.ઉર્જાસ
    • B.પૂનમCorrect
    • C.અશાંત
    • D.દિવસ
  34. 34
    MCQ1 mark

    નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થીનું જોડકું યોગ્ય નથી ?

    • A.સ્મરણ × વિસ્મરણ
    • B.અંત × આરંભ
    • C.આધે × ઓરે
    • D.ભીનાં × લીલાંCorrect
  35. 35
    MCQ1 mark

    કાન્તિ ઘેર આવતો ત્યારે બા તેનાં ......... લેતી.

    • A.કપડાં
    • B.ભોજન
    • C.દુ:ખણાંCorrect
    • D.પૈસા
  36. 36
    MCQ1 mark

    નીચેના કયા શબ્દની જોડણી ખોટી છે ?

    • A.વિદ્વાન
    • B.પુષ્પ
    • C.સ્પંદન
    • D.જિવનCorrect
  37. 37
    MCQ1 mark

    નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો છે ?

    • A.શ્રૃત + ધા
    • B.પીત + અંબરCorrect
    • C.સુર્ય + આસ્ત
    • D.વિદ્યા + આર્થી
  38. 38
    MCQ1 mark

    નીચેનામાંથી દ્વિગુ સમાસ શોધો.

    • A.તામ્રપત્ર
    • B.દંપતિ
    • C.ત્રિલોકCorrect
    • D.કન્યાપક્ષ
  39. 39
    MCQ1 mark

    ‘મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું' આ અર્થ ધરાવતી કઈ કહેવત છે ?

    • A.ટીપે ટીપે સરોવર ભરાય
    • B.સસ્તું ભાડુંને સિદ્ધપુરની જાતરાCorrect
    • C.ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો
    • D.ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે
  40. 40
    MCQ1 mark

    ‘હૃદયમાં ઘા પડવો' રૂઢિપ્રયોગનો અર્થ બતાવો.

    • A.દુ:ખની તીવ્ર અનુભૂતિ થવી.Correct
    • B.પડી જવું.
    • C.હૃદય પર હથોડી વાગવી.
    • D.ખોટું લાગવું.
  41. 41
    MCQ1 mark

    નીચેનામાંથી કર્મણિ વાક્ય રચના કઈ છે તે જણાવો.

    • A.કંચનમાસી બોલ્યાં.
    • B.જેણે હાથ વચ્ચે નામ છૂટયું હોય તે અહીં બેસે.
    • C.મીરથી તો હજી સગડ મેલાતો નથી.Correct
    • D.તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો.
  42. 42
    MCQ1 mark

    ‘અમારા ગામના શંભુપુરાણીનો ભાણેજ મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો હતો.’’ રેખાંકિત શબ્દના વિશેષણનો પ્રકાર ઓળખાવો.

    • A.સાર્વનામિક
    • B.ગુણવાચકCorrect
    • C.જથ્થાવાચક
    • D.સંખ્યાવાચક
  43. 43
    MCQ1 mark

    નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો.

    • A.મોટું
    • B.હોશિયારCorrect
    • C.નાનું
    • D.ઝીણી
  44. 44
    MCQ1 mark

    ‘‘બરફનો ગાંગડો લાવ્યો કે ગાંગડી'' વાક્યને યોગ્ય વિરામચિહ્ન કયું લાગે ?

    • A.બરનો ગાંગડો લાવ્યો કે ગાંગડી !
    • B.‘‘બરફનો ગાંગડો લાવ્યો કે ગાંગડી''
    • C.બરફનો ગાંગડો લાવ્યો કે ગાંગડી ?Correct
    • D.બરફનો ગાંગડો લાવ્યો કે ગાંગડી.
  45. 45
    MCQ1 mark

    કયા વિરામચિહ્નો જોડમાં જ વપરાય છે ?

    • A.ઉદ્ગાર ચિહ્ન
    • B.પૂર્ણવિરામ
    • C.ગુરુરેખા
    • D.અવતરણ ચિહ્નCorrect
  46. 46
    MCQ1 mark

    નીચેનું કાવ્ય વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: પછી અવસર અજવાળાનો ખેલ્યો અંતર મારું ઝળહળતું ... મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું; પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું .

    કવિ ડુંગરના દીવડાનો વિનિયોગ કરીને શેની વાત કરે છે ?

    • A.અંતરના ઉજાસનીCorrect
    • B.ઘરના ઉજાસની
    • C.શેરીના ઉર્જાસની
    • D.ડુંગરના ઉજાસની
  47. 47
    MCQ1 mark

    નીચેનું કાવ્ય વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: પછી અવસર અજવાળાનો ખેલ્યો અંતર મારું ઝળહળતું ... મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું; પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું .

    દીવડો મૂકી અજવાળું કરવાથી શું ઉકલે છે ?

    • A.ગગન
    • B.અજાણ્યા અક્ષરોCorrect
    • C.ડુંગરા
    • D.ભવન
  48. 48
    MCQ1 mark

    નીચેનો ફકરો વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી, ‘‘મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર. મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવાચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવાય દેવું નથી ? તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા, પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજથી હરામ છે.’’ બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી.

    ફકરાના આધારે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?

    • A.મોટાની વહુ ને મોટાનાં છોકરાં બાની સેવાચાકરી કરે છે.
    • B.કાન્તિની વહુને બાનું કાંઈ કામ કરવું નથી.
    • C.બા દર મહિને પૈસા મોકલવા કહે છે.Correct
    • D.બા મોટાની ભેગી રહે છે.
  49. 49
    MCQ1 mark

    નીચેનો ફકરો વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: [...] કોને બાનું કામ કરવું નથી ને કામ કરે છે એને કરવા દેવું નથી ?

    • A.વહુનેCorrect
    • B.દીકરાને
    • C.છોકરાંને
    • D.કંચનમાસીને
  50. 50
    MCQ1 mark

    ‘‘જા પૈસોય મોકલતો નહિ. તારો પૈસો મારે આજથી હરામ છે.’’ આ વાક્ય કોણ બોલે છે ?

    • A.મોટો દીકરો
    • B.મોટાની વહુ
    • C.બાCorrect
    • D.કંચનમાસી
  51. 51
    LONG ANSWER4 marks

    સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો ‘શ્વેતક્રાંતિ પ્રણેતાઓ’ પાઠને આધારે વર્ણવો.

    Answer

    વર્ગીસ કુરિયને આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરી અને સહકારી માળખું મજબૂત કર્યું. તેમણે ખેડૂતોને સીધો લાભ મળે તેવી વ્યવસ્થા કરી અને ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવ્યું. ઓપરેશન ફ્લડ દ્વારા તેમણે દેશભરમાં શ્વેતક્રાંતિ લાવી.
  52. 52
    LONG ANSWER4 marks

    શરણાઈના સૂર' કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. અથવા ‘ઝબક જ્યોત’ પાઠના આધારે દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો.

    Answer

    રમઝુ મીર પોતાની દીકરી સકીનાની વિદાયને યાદ કરી શરણાઈના સૂર દ્વારા હૃદયની વેદના ઠાલવે છે. બીજી બાજુ દીપકનું આઝાદી માટેનું બલિદાન જોઈ તેના પિતા સર અમલ દેરાસરીનું અંગ્રેજ ભક્તિમાંથી દેશભક્તિમાં હૃદય પરિવર્તન થાય છે.
  53. 53
    SHORT ANSWER2 marks

    ઘરેથી નીકળતાં ભદ્રંભદ્ર અંબારામને ‘આજનો દિવસ મહોટો છે’ એમ શા માટે કહે છે ?

    Answer

    ભદ્રંભદ્ર સનાતન ધર્મના પ્રચાર અને રક્ષણ માટે મુંબઈ જવાની તૈયારીમાં હતા, તેથી આ દિવસ તેમને મહાન લાગતો હતો.
  54. 54
    SHORT ANSWER2 marks

    પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા ?

    Answer

    જેઠીબાઈના પ્રભાવ અને સન્માનને લીધે પોર્ટુગીઝ ઑફિસરો તેમના ઘર પાસેથી પસાર થતા ત્યારે પોતાના માથા પરની ટોપી ઉતારી આદર વ્યક્ત કરતા.
  55. 55
    SHORT ANSWER2 marks

    બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે ?

    Answer

    બલાઈ પ્રકૃતિનો મોટો પ્રેમી છે; તે ઝાડ-પાનને જીવંત માને છે અને તેમની સાથે મનુષ્ય જેવો આત્મીય સંબંધ અનુભવે છે.
  56. 56
    SHORT ANSWER2 marks

    ‘સામગ્રી તો સમાજની છે !’ પાઠ દ્વારા સિક્યોરિટી ઑફિસરે શું સમજાવ્યું ? અથવા ‘ટિફિન’ લઘુકથા દ્વારા કયો ભાવ વ્યક્ત કર્યો છે ?

    Answer

    સિક્યોરિટી ઑફિસરે સમજાવ્યું કે ભલે તમારી પાસે પૈસા હોય, પણ સાધન-સંપત્તિ સમાજની છે અને તેનો બગાડ કરવાનો હક કોઈને નથી. ‘ટિફિન’ લઘુકથામાં જીવદયા અને વત્સલતાનો ભાવ વ્યક્ત થયો છે.
  57. 57
    SHORT ANSWER1 mark

    ‘સામગ્રી તો સમાજની છે ને !' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.

    Answer

    પ્રસંગકથા / લલિત નિબંધ
  58. 58
    SHORT ANSWER1 mark

    ‘સૂરજ તો બધે સરખો’ પાઠના લેખકનું નામ જણાવો.

    Answer

    વિનોદ ભટ્ટ
  59. 59
    SHORT ANSWER1 mark

    ‘‘રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે’’ આ વાક્ય કોણ બોલે છે ?

    Answer

    સર અમલ દેરાસરી (દીપકના પિતા)
  60. 60
    SHORT ANSWER1 mark

    ‘અમથીમા’ કઈ કૃતિનું પાત્ર છે ? કૃતિનું નામ લખો.

    Answer

    ટિફિન
  61. 61
    LONG ANSWER4 marks

    નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: વિકલાંગ માણસજગતને ભારરૂપ છે એવી લાગણીઅર્થહીન છે. ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસોજડશે જેકેવળ પરોપજીવીજ નહિ,સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અનેસંકલ્પશક્તિ હોય અને તેને યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થવડે તે સમાજની ઉત્તમસેવાકરી શકે. અપંગની સેવાદ્વારા આપણાં ઘણા સામાજિક ગુણો વિકસેછે. માનવતાની, સામાજિક જીવનની આકેળવણી તત્ત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ। અને અન્ય પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથીઆપણે વધારેસારા દેશજન થઈ શકાશું. વધારેસારા હિંદુ કે મુસલમાન થઈ શકીશું. બલકે વિશ્વમાનવ કે પરમ પિતાનાંસાચાં સંતાન થઈ શકીશું. જે બીજાનાં દુઃખો જોતો નથી, જેબીજાની આરતસાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદેદોડી જતો નથી,તે જ અપંગ છે.

    Answer

    શીર્ષક: સાચી અપંગતા અને માનવતા. સંક્ષેપ: વિકલાંગતા એ સમાજ માટે ભાર નથી; દૃઢ સંકલ્પશક્તિવાળી અપંગ વ્યક્તિ પણ ઉત્તમ સેવા કરી શકે છે. સાચો અપંગ એ છે જે બીજાનું દુઃખ જોતો નથી કે મદદ કરતો નથી. માનવતાની કેળવણી જ સાચી ધાર્મિક કેળવણી છે.
  62. 62
    LONG ANSWER7 marks

    ગમે તે એક વિષય પર આશરે (250) શબ્દોમાં નિબંધ લખો: 1. પ્રદૂષણ – એક સાર્વત્રિક સમસ્યા, 2. જો હું વડાપ્રધાન હોઉં તો .........., 3. મારો યાદગાર પ્રવાસ.

    Answer

    વિદ્યાર્થીએ પસંદ કરેલા વિષય પર મુદ્દાસર નિબંધ લેખન.